શંખલપુરમાં બિનહરીફ સરપંચ પરેશ પટેલને 5 વર્ષની સજા કોર્ટે સંભળાવી છે.. રેલવેનું પેપર ફોડવાના કેસમાં તેમને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તાજેતરમાં જ તેઓ બિનહરીફ સરપંચ ચૂંટાયા હતા.. હવે તેમને સજા પડતા પંચાયત ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. 2002માં રેલવે ભરતીમાં પેપર ફોડવાના કેસમાં તેમને આ સજા સંભળાવવામાં આવી છે.પેપર ફોડવાના આ કેસમાં અન્ય ખબર પર નજર કરીએ તો સોમવારે 2002માં રેલ્વે દ્વારા લેવાયેલી પરીક્ષાના પેપર લીક કરવાના બહુચર્ચિત કેસમાં, રાજકોટની એક ખાસ સીબીઆઈ કોર્ટે પશ્ચિમ રેલ્વેના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.. આ ઉપરાંત, કોર્ટે દરેક દોષિતને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે આ કેસને “જાહેર વિશ્વાસઘાતનું સ્પષ્ટ ઉદાહરણ” ગણાવ્યો છે, જે સરકારી ભરતી પ્રક્રિયાની પવિત્રતા જાળવવામાં નિષ્ફળતા અને ભ્રષ્ટાચારના ગંભીર પરિણામો દર્શાવે છે. આ ચુકાદો દેશમાં પારદર્શક અને ન્યાયી ભરતી પ્રક્રિયાના મહત્વ પર ભાર મૂકે છે.આ કેસમાં દોષિત ઠરેલાઓમાં ભૂતપૂર્વ હેડ ક્લાર્ક સુનીલ ગોલાણી અને પ્રકાશ કરમચંદાની, સિનિયર સાઇફર ઓપરેટર મહેન્દ્ર વ્યાસ, સિગ્નલ મેન્ટેનર્સ રાજેશ ગોસ્વામી અને આનંદ મેરૈયા, સહાયક ડીઝલ ડ્રાઇવરો મહેબૂબલી અંસારી અને પરેશ પટેલ, અને રેલ્વે સુરક્ષા દળના કર્મચારી પપ્પુ ખાનનો સમાવેશ થાય છે. આ આઠેય આરોપીઓ પર 18 ઓગસ્ટ, 2002ના રોજ યોજાનારી પ્રોબેશનરી આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટેની પરીક્ષાના પ્રશ્નપત્રો લીક કરીને વેચવાનો આરોપ હતો. આ ગુનાહિત કૃત્યને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી, જેનાથી હજારો ઉમેદવારોને ભારે નિરાશા થઈ હતી.